UPમાં સુરતના તક્ષશીલા જેવી ઘટના, લાઇબ્રેરીમાં ભીષણ આગ

By: Nation Gujarat Team
22 Jun, 2026

યુપીની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં સોમવારે એક લાઇબ્રેરી સેન્ટરમાં ભીષણ આગ લાગી છે. આગને કારણે લાઇબ્રેરીમાં હાજર વિદ્યાર્થીઓનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું. આવી સ્થિતિમાં, કેટલાક લોકોએ પહેલા માળેથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. એક યુવક જીવ બચાવવા માટે આગની વચ્ચેથી કૂદ્યો, પરંતુ તે નીચે લોખંડની અણીદાર ગ્રીલ પર પડ્યો, જેના કારણે ગ્રીલ તેના પેટમાં ઘૂસી ગઈ. સ્થાનિક લોકોએ તેને હોસ્પિટલ મોકલ્યો.ધૂમાડો નીકળતો જોઈને આસપાસના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ આગ પર કાબૂ મેળવવામાં લાગી છે.


Related Posts

Load more